જીવજંતુ કરડ્યાં પછી એટલી જગ્યા લાલ કેમ થઇ જાય છે?

               મધમાખી,કીડી,મચ્છર,માંકડ કે ચાંચડ જેવા જીવજંતુ કરડે ત્યારે એટલો ભાગ તરત લાલ થઇ જાય છે. 
એટલા માટે કે એ કરડેલા ભાગમાં જીવડાનું ઝેર ફેલાયેલું હોય છે. લોહી પીને આ જીવજંતુઓ પોતાનું પેટ ભરે છે. આ જીવજંતુઓ પહેલાં તો આપણા શારીરની ચામડીમાં જ્યાં લોહીની નળી સૌથી ઉપર હોય ત્યાં બેસીને કાણું પાડે છે. પછી એ ભાગમાં પોતાનું ખાસ રસાયણ છોડે છે. એ રસાયણ લોહીમાં ભળતાં એ જંતુને પચવામાં સહેલું બને છે. એ જંતુ લોહી ચૂસી લે એટલે એ રસાયણ પણ ચૂસાઇ જાય છે. જોકે, માંકડ, મચ્છર જેવા જંતુઓ લોહી ચૂસ્યા વિના ઉડી જાય ત્યારે એ રસાયણ શરીરમાં જ રહી જાય. તે આપણા માટે ઝેર જેવું હોય છે, પણ આપણા શરીરના કોષ એ રસાયણ સાથે લડીને તેનો નાશ કરે છે. આમ, એ રસાયણ સાથે લડીને તેનો નાશ કરે છે. આમ, એ રસાયણ નષ્ટ ન પામે ત્યાં સુધી ચામડીનો એટલો ભાગ લાલ થઇ જાય છે ને ત્યાં બળતરા થાય છે.

Comments

Popular posts from this blog

C.L.Report (casual leave ( raja ) report ) ( કેજ્યુઅલ્ રજા રીપોર્ટ, મરજીયાત રજા રીપોર્ટ) in gujarati

ઉત્તરાયણ( મકરસંક્રાંતિ ) વિષય પર નિબંધ લખો.( write an essay on uttarayan) or ( Write an essay on Makarsankranti)

Manushya tu bada mahan hai lyrics in gujarati