આપણે નદીના જળમાં ચલણી સિક્કા કેમ પધરાવીએ છીએ?
સામાન્ય લોકો એવું માને છે કે નદીના જળમાં સિક્કાઓ
પધરાવવાથી ભાગ્યોદય થાય કે સોભાગ્યની પ્રાપ્તિ થાય છે. પરંતુ
તે પાછળનું વૈજ્ઞાનિક
કારણ એવું છે કે પ્રાચિન સમયમાં જે ચલણી સિક્કાઓ હતા તે મોટા ભાગે ત્રાંબાના જ
રહેતા હતા. આજના સમયની જેમ ત્યારે લોખંડના સિક્કાનું ચલણ જ ન હતું. આ ત્રાંબું
શરીર માટે અત્યંત ફાયદાકારક છે. લોકો પ્રવાસમાં નીકળે ત્યારે વચ્ચે આવતી નદીઓમાં
પોતાની શક્તિ મુજબ બે- ચાર કે વધારે સિક્કા પધરાવતા જાય છે. આ રીતે આપણા વડવાઓએ
આયોજન પૂર્વક પ્રજાનું સ્વાસ્થ્ય સુનિશ્ચિત કરી આપ્યું હતું. કારણ કે તે વખતે મોટા
ભાગના લોકો પીવાના પાણી તરીકે નદીના જળનો જ ઉપયોગ કરતા હતા.
Comments
Post a Comment