Posts

Showing posts from April, 2017

તારાઓ કેમ ખરે છે?

Image
           ઘણા લોકોને આ સવાલ થતો હોય છે   કે આખરે આકાશમાંથી તારા કેવી રીતે ખરતાં હશે? એનું કારણ શું હોઇ શકે? તો મિત્રો તારા તો આપણાથી અબજો કિલોમીટર દૂર આવેલા છે. હકીકત જોવા જઇએ તો તારા તૂટતાં નથી. આપણે જેને ખરતાં તારા કહીએ છીએ તે તો અસલ તારાઓ કરતા નજીક અને મૂળ તો તે ઉલ્કાઓ જ હોય છે. વિશાળ સૂર્યમંડળમાં અસંખ્ય ઉલ્કાઓનો જમાવડો હોય છે.          આ ઉલ્કાઓ સૂર્યની આસપાસ ઘૂમ્યા કરે છે. જો કોઇ ઉલ્કા પૃથ્વીની ખૂબ નજીકથી પસાર થાય ત્યારે તે ગુરુત્વાકર્ષણ બળને કારણે પૃથ્વી તરફ ખેંચાય છે.          આરીતે તે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે એ વખતે ઘર્ષણથી તપી જઇને પ્રકાશિત થાય છે.         ખાસ કરીને એવું બને છે કે ધરતી ઉપર પહોચતાં પહેલાં જ તે બળીને રાખ થઇ જાય છે કે પછી મોટા વિસ્ફોટ સાથે ફાટી જાય છે. આ સળગી ઉલ્કા પૃથ્વી તરફ ખેચાય ત્યારે તીવ્ર પ્રકાશની એક રેખા બનાવે છે. આ કારણે જ આપણને લાગે છે કે જાણે તારો તૂટ્યો હોય.                 વિશાળ ઉલ્કા પૃથ્વીથી આશરે ૧૨૮ કિ.મી. દૂર હોય ત્યારે જ આપણે તેને જોઇ શકીએ છીએ, પણ પૃથ્વીથી ૮૦ કિ.મી. દૂરના અંતરે આવતા સુધીમાં તો તે ઉલ્કાઓ આકાશમાં ઝૂંડ બ

NEW MY SCHOOL SOFTWARE FOR PRIMARY SCHOOL

Image
WAITING IS OVER............   AN AWESOME SOFTWARE IS HERE            હવે પ્રાથમિક શાળામાં ભરવામાં આવતા પત્રકો ભરવા તદ્દન સરળ થાય તે માટે  MY SCHOOL  નામનું   સોફ્ટવેર બનાવ્યં છે. જેને ભરવું ખુબ જ સરળ છે. આ સોફ્ટવેરની મદદ થી એક વર્ગના વધુમાં વધું 100 બાળકોની માહિતી ભરી શકાશે. સોફ્ટવેરનું ફ્રંટ પેજ નીચે દર્શાવ્યું છે. Latest version 2.1          કોઇ પણ જાતના સુધારા માટે અહી નીચે  કોમેંટમાં લખો.             ખાસ સુચના          આ સોફ્ટવેરની કોપી કરી અન્ય કોઇ બ્લૉગ કે વેબસાઇટ પર મુકવું નહી. આ ફ્ક્ત શાળાના ઉપયોગ માટે છે.      આભાર..............

PARINAM TARIJ FOR ALL SCHOOL

Image
     તમામ શાળાઓ માટે ઉપયોગી તારીજ  pdf   ફોર્મેટમાં download  કરવા માટે અહી નીચે ક્લિક કરો.               

PRAYER 6 LYRICS ( o karuna na karanara )

Image
ઓ કરુણાના કરનારા ઓ કરુણાના કરનારા, તારી કરુણાનો કોઇ પાર નથી મારા સંકટના હરનારા, તારી કરુણાનો કોઇ પાર નથી મેં પાપ કર્યા છે એવા, હું ભૂલ્યો તારી સેવા મારી ભૂલોના ભૂલનારા, તારી કરુણાનો કોઇ પાર નથી હું અંતરમાં થઇ રાજી, ખેલ્યો છું અવળી બાજી અવળી ને સવળી કરનારા, તારી કરુણાનો કોઇ પાર નથી ઓ પરમ કૃપાળું વહાલા, મેં પીધા વિષના પ્યાલા વિષને અમૃત કરનારા, તારી કરુણાનો કોઇ પાર નથી ભલે છોરું કછોરું થાય, તું માવિતર કહેવાય મીઠી છાયાને દેનારા, તારી કરુણાનો કોઇ પાર નથી મને જડતો નથી કીનારો, મારો ક્યાંથી આવે આરો સાચા મારગના દેનારા, તારી કરુણાનો કોઇ પાર નથી છે ભક્તનું જીવન ઉદાસી, તારા શરણે લે અવિનાશી ભક્તોના કષ્ટ હરનારા, તારી કરુણાનો કોઇ પાર નથી… આ પ્રાર્થના ને   IMAGE  સ્વરૂપે સંગ્રહ(SAVE)  કરવા માટે નીચે ક્લિક કરો.      

આપણે નદીના જળમાં ચલણી સિક્કા કેમ પધરાવીએ છીએ?

Image
         સામાન્ય લોકો એવું માને છે કે નદીના જળમાં સિક્કાઓ   પધરાવવાથી ભાગ્યોદય થાય કે સોભાગ્યની પ્રાપ્તિ થાય છે. પરંતુ   તે પાછળનું વૈજ્ઞાનિક કારણ એવું છે કે પ્રાચિન સમયમાં જે ચલણી સિક્કાઓ હતા તે મોટા ભાગે ત્રાંબાના જ રહેતા હતા. આજના સમયની જેમ ત્યારે લોખંડના સિક્કાનું ચલણ જ ન હતું. આ ત્રાંબું શરીર માટે અત્યંત ફાયદાકારક છે. લોકો પ્રવાસમાં નીકળે ત્યારે વચ્ચે આવતી નદીઓમાં પોતાની શક્તિ મુજબ બે- ચાર કે વધારે સિક્કા પધરાવતા જાય છે. આ રીતે આપણા વડવાઓએ આયોજન પૂર્વક પ્રજાનું સ્વાસ્થ્ય સુનિશ્ચિત કરી આપ્યું હતું. કારણ કે તે વખતે મોટા ભાગના લોકો પી વાના પાણી તરીકે નદીના જળનો જ ઉપયોગ કરતા હતા.

આપણે પીપળાના ઝાડની પુજા શા માટે કરીએ છીએ?

Image
                           સામાન્ય માનવી માટે પીપળાના ઝાડનું કોઇ જ મહત્વ નથી, પીપળાના ઝાડની માનવી ને શી જરૂર? હા, તે છાંયો જરૂર આપી શકે. પીપળાને સ્વાદિષ્ટ ફળો નથી આવતા, તેનું લાકડું ફર્નીચર બનાવી શકાય તેવું મજબૂત પણ નથી હોતુ, તો પછી પીપળાની પુજા શા માટે? આપણા વડવાઓએ હજારો વર્ષે પહેલા એ જાણી લીધું હતું કે પીપળો, એ આ પૃથ્વી પરનું એક માત્ર એવું વૃક્ષ છે કે જે રાત્રે પણ એક્સિજન વાયુંનું ઉત્સર્જન  કરે છે આમ આ પૃથ્વી પરના સહુથી અનન્ય એવા વૃક્ષને બચાવી લઇ પર્યાવરણને સંતુલીત બનાવવા આપણા વડવાઓએ પીપળાની પુજા કરવાનું આપણને શીખવ્યું હતું.